આપણો એવો વહેવાર બને,
આંખો મળે ને તહેવાર બને.
હળતાં મળતાં રહીએ એવાં,
દિલના સંબંધ અપાર બને.
સંવેદનાઓને ઘૂંટ્યા કરવી,
વિચાર એમ જ ધારદાર બને.
વર્તણૂકથી જ વહેતો કર્યો જેને,
સમય થતાં એ જ સુવિચાર બને.
એક માત્ર ઈચ્છા ‘આરતી’ની,
નિરાધારનો કદી આધાર બને.
~
આરતી પરીખ
૧૦.૧.૨૦૧૬