ચાબુક મારી
ભટકાવી ઇન્દ્રિયો
લગામ શોધે
©આરતી પરીખ
~~~
શરીરમાં કોઈ રોગ થાય અને એની દરકાર ન કરીએ તો અસાધ્ય નીવડે.
તે જ પ્રમાણે, મનુષ્ય પ્રારંભમાં ઇન્દ્રિયનિગ્રહ(સંયમ) વિષે સાવચેત ન રહે અને તેમને સ્વેચ્છાપૂર્વક ભટકવા દે તો પાછળથી એમને કાબુમાં રાખવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે.