મોજીલો જીવ

સવારે ચાદર ઝાટકતાં
સપનાં
રજકણોમાં ભળી ગયાં.
બારીની તિરાડેથી
સુર્ય કિરણોએ
ડોકિયું કર્યું
ને
મોજથી જીવવાના રસ્તા
ઓરડાની હવાનાં
કણેકણમાં જ મળી ગયાં.
…………………………………………….. _આરતી(૯.૧.૨૦૧૩)

Leave a comment